Skip to main content

બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ

  બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના સંયુક્ત...

Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ

 Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ

'મહિલા નેતૃત્વ દિવસ' ઉજવણી વિશેષ લેખ શ્રેણી:-

કડજોદરા ગામની બાલિકા સરપંચ  દિયા મહિલા આઇ.પી.એસ બનવા માંગે છે : 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક  કાલ્પનિક વિચાર જ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.'- દિયા ત્રિવેદી

ગાંધીનગર,શનિવાર

‘નારી વંદન ઉત્સવ’ના ચોથા દિવસે 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરતી મહિલાઓને સન્માનિત કરવાનો અવસર. આ અવસરે આપણા ઇતિહાસ પર નજર દોડાવીએ તો ભૂતકાળ નારી નેતૃત્વ અને શૌર્યથી ભરેલી અનેક ગાથાઓ થકી સમૃધ્ધ જોવા મળે છે. જે એ વાતની સાક્ષી છે કે નારીમાં નેતૃત્વના ગુણ હંમેશા રહેલા છે. જરૂર છે માત્ર એક અવસરની. 


આજ વાતને અનુલક્ષીને નેતૃત્વના ગુણને બાળપણથી જ વિકસાવવા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકા પૈકી દહેગામ તાલુકાના ૯૩ માંથી ૮૮ ગામોમાં, કલોલના ૫૫ ગામમાં, ગાંધીનગર તાલુકાના ૬૦ માંથી ૫૮ ગામ તથા માણસા તાલુકાના ૮૧ માંથી ૬૧ ગામ મળી કુલ ૨૬૨ ગ્રામ પંચાયતોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી નિમિત્તે તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ ગામોની દીકરીઓ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન વગેરે જેવા ૨૮ સભ્યોની ભૂમિકા અદા કરી એક દિવસનું નેતૃત્વ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સિવાય ગત વિધાનસભા સત્રમાં પણ બાલિકાઓ દ્વારા વિધાનસભા સત્રની એક દિવસની કામગીરી સંભાળી ગર્વભેર  નેતૃત્વના ગુણ થકી ઉપસ્થિત સૌને દિકરીઓએ પ્રભાવિત કર્યા હતા.આ સઘળા કાર્યક્રમોનો હેતુ બાલિકાઓમાં બાળપણથીજ નીડરતા અને હિમ્મત ભર્યો નેતૃત્વનો ગુણ વિકસાવવાનો છે.  

આ બંને કાર્યક્રમ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું કડજોદરા ગામ પ્રથમ એવું ગામ બન્યું છે જ્યાં ડિસેમ્બર, ૨૦૨૩માં સૌપ્રથમ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી. 



કડજોદરા ગામના સરપંચશ્રી ઝાલા અર્જુનસિંહ આ અંગે જણાવે છે કે, ગામની ૧૧ થી ૧૬ વર્ષ સુધીની ૧૩ દીકરીઓને એકત્રિત કરી ગામમાં બાલીકા પંચાયતની રચના કરવામાં આવી છે. જેમાં ૧૫ વર્ષની દીકરી દિયા ત્રિવેદી બાલિકા સરપંચ છે. અરવિંદ સિંહ આ કામગીરી અંગે જણાવતા કહે છે કે, "દીકરીઓ બાલિકા પંચાયત અંતર્ગત ખરેખર સુંદર કામગીરી કરી રહી છે. દર મહિને બે વખત આ બાલિકા પંચાયતની સભા મળે છે, અને ગામમાં અયોગ્ય લાગતી બાબતો અથવા સુધારા કરવા લાયક યોગ્ય નિર્ણયો લેવા તરફ પણ તેઓ અમારું ધ્યાન દોરે છે. બાલિકા પંચાયતમાં દીકરીઓનું નેતૃત્વ જોતાં ચોક્કસ હું એવું કહી શકું કે આગળ જતાં આ દીકરીઓ ગામ, જિલ્લા અને દેશનું નામ અવશ્ય રોશન કરશે."

કડજોદરા બાલિકા પંચાયતના બાલિકા સરપંચ દિયા ત્રિવેદી જણાવે છે કે, ગામમાં જ્યારે બાલિકા પંચાયતની શરૂઆત કરવામાં આવી એ પછી ગામની ઘણી બધી બહેનોના પ્રશ્નોને બાલિકા પંચાયત દ્વારા સમાધાન મળ્યું છે. દર અઠવાડિયે ગામમાં ઘરે ઘરે જઈ દિયા અને પંચાયતના અન્ય સભ્યો તેમના જેવી બીજી દીકરીઓની તકલીફ અથવા પ્રશ્નો જાણવાની કોશિશ કરે છે. બાલિકા પંચાયત ગામની  દિકરીઓનો અવાજ બની છે અને દીકરીઓને આગળ વધવામાં પણ મદદ કરી છે. મહિનામાં બે વખત બાલિકા સભા યોજી બધી દીકરીઓ ભેગી મળે છે, ખુલ્લા મને તેઓ પોતાની દુવિધા બાલિકા પંચાયત સામે રજૂ કરે છે.  બાલિકા સરપંચ તેમનો અવાજ બની સમસ્યાને સમાધાન સુધી પહોંચાડવાના પ્રયત્નો પણ કરે છે. ક્યારેક શિબીરો યોજી આ વિષયો અંતર્ગત અન્ય તજજ્ઞો દ્વારા સમજ અને આત્મ રક્ષણની તાલીમ પણ યોજે છે. ઉપરાંત સેનેટરી પેડ નું વિતરણ, રસોઈ સ્પર્ધા, કેશગુફન સ્પર્ધા,  ચિત્ર સ્પર્ધા વગેરે

જેવી એક્ટિવિટી દ્વારા ગામની દીકરીઓની આવડત બહાર લાવવાની દિશામાં પણ કાર્ય કરે છે. 

કડજોદરા ગામની આ બાલિકા સરપંચ દિયા ત્રિવેદી હાલ ધોરણ-૧૧ માં અભ્યાસ કરે છે. અને આગળ જતાં કિરણ બેદીની જેમ આઇ.પી.એસ અધિકારી બનવા ઈચ્છે છે. દિયાનાં નેતૃત્વ ગુણ જોતા તેના આદર્શ મહિલા અંગે પૂછવામાં આવતા તે જણાવે છે કે, દેશના પહેલા આઇ.પી.એસ મહિલા કિરણ બેદી તેના આદર્શ છે. અને તેમની માફક દિયા પણ નીડર મહિલા બનવા માંગે છે. દિયા જણાવે છે કે 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક કાલ્પનિક વિચારજ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.' સાથેજ દિયા મુખ્યમંત્રીશ્રી અને મહિલા બાળ વિકાસ વિભાગનો આભાર વ્યક્ત કરતા ઉમેરે છે કે,’બાલિકા સરપંચ બનવાની તકે મને સાચા નેતૃત્વના સિધ્ધાંતો શિખવાનો અવસર આપ્યો છે. જેના થકીજ હું   સ્વયંની ઓળખ કરી શકી અને આત્મવિશ્વાસ વધારી શકી છું.’

આમ, દિયા ત્રિવેદી જેવી દીકરીઓ જિલ્લાના દરેક ગામમાં છે જે સફળ નેતૃત્વ કરી રહી છે. આવી દીકરીઓને જરૂર છે માત્ર એક અવસરની.... આ એ દીકરીઓ છે જે મહિલા નેતૃત્વનાં વિચારને નવી દિશા આપે છે....

આલેખન:-

જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર

Comments

Popular posts from this blog

Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું. નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું.  વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને ...

વલસાડ: જિલ્લા શિક્ષણ સમિતિ,સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈનો સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

વલસાડ: જિલ્લા શિક્ષણ સમિતિ,સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈનો સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો. જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પાંચયત, વલસાડ દ્વારા સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં ૩૫ વર્ષ... Posted by Mla Arvind Patel on  Saturday, June 15, 2024

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024