Skip to main content

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ

 Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ

'મહિલા નેતૃત્વ દિવસ' ઉજવણી વિશેષ લેખ શ્રેણી:-

કડજોદરા ગામની બાલિકા સરપંચ  દિયા મહિલા આઇ.પી.એસ બનવા માંગે છે : 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક  કાલ્પનિક વિચાર જ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.'- દિયા ત્રિવેદી

ગાંધીનગર,શનિવાર

‘નારી વંદન ઉત્સવ’ના ચોથા દિવસે 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરતી મહિલાઓને સન્માનિત કરવાનો અવસર. આ અવસરે આપણા ઇતિહાસ પર નજર દોડાવીએ તો ભૂતકાળ નારી નેતૃત્વ અને શૌર્યથી ભરેલી અનેક ગાથાઓ થકી સમૃધ્ધ જોવા મળે છે. જે એ વાતની સાક્ષી છે કે નારીમાં નેતૃત્વના ગુણ હંમેશા રહેલા છે. જરૂર છે માત્ર એક અવસરની. 


આજ વાતને અનુલક્ષીને નેતૃત્વના ગુણને બાળપણથી જ વિકસાવવા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકા પૈકી દહેગામ તાલુકાના ૯૩ માંથી ૮૮ ગામોમાં, કલોલના ૫૫ ગામમાં, ગાંધીનગર તાલુકાના ૬૦ માંથી ૫૮ ગામ તથા માણસા તાલુકાના ૮૧ માંથી ૬૧ ગામ મળી કુલ ૨૬૨ ગ્રામ પંચાયતોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી નિમિત્તે તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ ગામોની દીકરીઓ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન વગેરે જેવા ૨૮ સભ્યોની ભૂમિકા અદા કરી એક દિવસનું નેતૃત્વ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સિવાય ગત વિધાનસભા સત્રમાં પણ બાલિકાઓ દ્વારા વિધાનસભા સત્રની એક દિવસની કામગીરી સંભાળી ગર્વભેર  નેતૃત્વના ગુણ થકી ઉપસ્થિત સૌને દિકરીઓએ પ્રભાવિત કર્યા હતા.આ સઘળા કાર્યક્રમોનો હેતુ બાલિકાઓમાં બાળપણથીજ નીડરતા અને હિમ્મત ભર્યો નેતૃત્વનો ગુણ વિકસાવવાનો છે.  

આ બંને કાર્યક્રમ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું કડજોદરા ગામ પ્રથમ એવું ગામ બન્યું છે જ્યાં ડિસેમ્બર, ૨૦૨૩માં સૌપ્રથમ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી. 



કડજોદરા ગામના સરપંચશ્રી ઝાલા અર્જુનસિંહ આ અંગે જણાવે છે કે, ગામની ૧૧ થી ૧૬ વર્ષ સુધીની ૧૩ દીકરીઓને એકત્રિત કરી ગામમાં બાલીકા પંચાયતની રચના કરવામાં આવી છે. જેમાં ૧૫ વર્ષની દીકરી દિયા ત્રિવેદી બાલિકા સરપંચ છે. અરવિંદ સિંહ આ કામગીરી અંગે જણાવતા કહે છે કે, "દીકરીઓ બાલિકા પંચાયત અંતર્ગત ખરેખર સુંદર કામગીરી કરી રહી છે. દર મહિને બે વખત આ બાલિકા પંચાયતની સભા મળે છે, અને ગામમાં અયોગ્ય લાગતી બાબતો અથવા સુધારા કરવા લાયક યોગ્ય નિર્ણયો લેવા તરફ પણ તેઓ અમારું ધ્યાન દોરે છે. બાલિકા પંચાયતમાં દીકરીઓનું નેતૃત્વ જોતાં ચોક્કસ હું એવું કહી શકું કે આગળ જતાં આ દીકરીઓ ગામ, જિલ્લા અને દેશનું નામ અવશ્ય રોશન કરશે."

કડજોદરા બાલિકા પંચાયતના બાલિકા સરપંચ દિયા ત્રિવેદી જણાવે છે કે, ગામમાં જ્યારે બાલિકા પંચાયતની શરૂઆત કરવામાં આવી એ પછી ગામની ઘણી બધી બહેનોના પ્રશ્નોને બાલિકા પંચાયત દ્વારા સમાધાન મળ્યું છે. દર અઠવાડિયે ગામમાં ઘરે ઘરે જઈ દિયા અને પંચાયતના અન્ય સભ્યો તેમના જેવી બીજી દીકરીઓની તકલીફ અથવા પ્રશ્નો જાણવાની કોશિશ કરે છે. બાલિકા પંચાયત ગામની  દિકરીઓનો અવાજ બની છે અને દીકરીઓને આગળ વધવામાં પણ મદદ કરી છે. મહિનામાં બે વખત બાલિકા સભા યોજી બધી દીકરીઓ ભેગી મળે છે, ખુલ્લા મને તેઓ પોતાની દુવિધા બાલિકા પંચાયત સામે રજૂ કરે છે.  બાલિકા સરપંચ તેમનો અવાજ બની સમસ્યાને સમાધાન સુધી પહોંચાડવાના પ્રયત્નો પણ કરે છે. ક્યારેક શિબીરો યોજી આ વિષયો અંતર્ગત અન્ય તજજ્ઞો દ્વારા સમજ અને આત્મ રક્ષણની તાલીમ પણ યોજે છે. ઉપરાંત સેનેટરી પેડ નું વિતરણ, રસોઈ સ્પર્ધા, કેશગુફન સ્પર્ધા,  ચિત્ર સ્પર્ધા વગેરે

જેવી એક્ટિવિટી દ્વારા ગામની દીકરીઓની આવડત બહાર લાવવાની દિશામાં પણ કાર્ય કરે છે. 

કડજોદરા ગામની આ બાલિકા સરપંચ દિયા ત્રિવેદી હાલ ધોરણ-૧૧ માં અભ્યાસ કરે છે. અને આગળ જતાં કિરણ બેદીની જેમ આઇ.પી.એસ અધિકારી બનવા ઈચ્છે છે. દિયાનાં નેતૃત્વ ગુણ જોતા તેના આદર્શ મહિલા અંગે પૂછવામાં આવતા તે જણાવે છે કે, દેશના પહેલા આઇ.પી.એસ મહિલા કિરણ બેદી તેના આદર્શ છે. અને તેમની માફક દિયા પણ નીડર મહિલા બનવા માંગે છે. દિયા જણાવે છે કે 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક કાલ્પનિક વિચારજ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.' સાથેજ દિયા મુખ્યમંત્રીશ્રી અને મહિલા બાળ વિકાસ વિભાગનો આભાર વ્યક્ત કરતા ઉમેરે છે કે,’બાલિકા સરપંચ બનવાની તકે મને સાચા નેતૃત્વના સિધ્ધાંતો શિખવાનો અવસર આપ્યો છે. જેના થકીજ હું   સ્વયંની ઓળખ કરી શકી અને આત્મવિશ્વાસ વધારી શકી છું.’

આમ, દિયા ત્રિવેદી જેવી દીકરીઓ જિલ્લાના દરેક ગામમાં છે જે સફળ નેતૃત્વ કરી રહી છે. આવી દીકરીઓને જરૂર છે માત્ર એક અવસરની.... આ એ દીકરીઓ છે જે મહિલા નેતૃત્વનાં વિચારને નવી દિશા આપે છે....

આલેખન:-

જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર

Comments

Popular posts from this blog

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

  Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધા...

Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું. નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું.  વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને ...

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024